આત્મસન્માન અને દેશભક્તિની ગાથા
નડાબેટ વિશે ટૂંકી માહિતી
નડાબેટ, ગુજરાતના વાવ-થરાદ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું એક અદ્ભુત પ્રવાસી સ્થળ છે. વાઘા બોર્ડરની જેમ, અહીં “સીમા દર્શન” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે પ્રવાસીઓને BSF જવાનોના શૌર્ય, તેમના જીવન અને દેશભક્તિનો અનુભવ કરાવે છે. આ સ્થળ પરેડ, પ્રદર્શન અને પ્રેરણાદાયક વાતાવરણ માટે પ્રસિદ્ધ છે.
નડાબેટની વિશેષતાઓ અને આકર્ષણો
- બીટીંગ રિટ્રીટ સેરેમની: વાઘા બોર્ડરની જેમ સાંજે ધ્વજાવતરણની શાનદાર પરેડ યોજાય છે.
- અજય પ્રહરી સ્મારક: શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવાયેલ સ્મારક.
- પ્રદર્શન: ઓપન-એર મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીમાં BSFના ઇતિહાસ, હથિયારો અને યુનિફોર્મનું પ્રદર્શન.
- BSF અનુભવ: પ્રવાસીઓ BSF જવાનોના જીવનને નજીકથી જોઈ શકે છે.
- ઝીરો પોઈન્ટ: અહીંથી સુરક્ષિત રીતે ભારત-પાકિસ્તાન સરહદનું દર્શન થાય છે.
- પક્ષીદર્શન: અહિયાં શીયાળા દરમિયાન લાખોની સંખ્યામાં ફ્લેમિંગો તેમજ વિવિધ યાયાવર પક્ષીઓ આવે છે.તેમજ અહિયાં ઘુડખર પણ જોવા મળે છે.
નડાબેટ પહોંચવાની રીત
- હવાઈ માર્ગે: નજીકનું એરપોર્ટ અમદાવાદ (220 કિમી) અથવા ભુજ છે.
- રેલ માર્ગે: નજીકનું રેલવે સ્ટેશન પાલનપુર (100 કિમી).
- સડક માર્ગે: નડાબેટ ગુજરાતના મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
સમય અને ટીકીટ
- સમય: સવારે 9:00 થી સાંજે 7:00 (પરેડ મુજબ ફેરફાર શક્ય).
- પરેડ: સૂર્યાસ્ત પહેલાં યોજાય છે. ચોક્કસ સમય માટે વેબસાઇટ તપાસો.
- પ્રવેશ ફી: સીમા દર્શન માટે બસ ટીકીટ અને મ્યુઝીમ ટીકીટ એક વ્યક્તિના 100/- તથા 12 વર્ષથી નાના બાળક માટે 50/- રૂપિયા ટીકીટના લેવામાં આવે છે (ઓનલાઈન અથવા સ્થળ પર).
ઇતિહાસ અને મહત્વ
નડાબેટનું નામ નજીકના બેટ પરથી પડ્યું છે. કચ્છના રણ અને પાકિસ્તાન સરહદની નજીક હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્વ છે. “સીમા દર્શન” પ્રોજેક્ટનો હેતુ સામાન્ય નાગરિકોને સરહદની સુરક્ષા વિષે જાગૃત કરવો અને BSFના જવાનો પ્રત્યે ગૌરવભાવ જગાવવાનો છે. આ પ્રોજેક્ટ ગુજરાત પ્રવાસન માટે પણ મહત્વપૂર્ણ છે. આ પ્રદેશ કચ્છના રણનો જ એક ભાગ છે માટે અહિયાં સફેદ રણ, ઘુડખર તેમજ શીયાળા દરમિયાન પાણી રહેતું હોવાથી લાખો યાયાવર પક્ષીઓ અને ફ્લેમિંગો જોવા મળે છે. અહિયાં નડેશ્વરી માતાજીનું ભવ્ય મંદિર છે,જ્યાં જમવા અને રહેવાની વ્યવસ્થા મળે છે.
સંપર્ક અને વિશેષ માહિતી
સરનામું: નડાબેટ, સુઈગામ, વાવ-થરાદ, ગુજરાત - 385550
વેબસાઇટ: www.seemadarshan.in
કાયમી પૂછાતા પ્રશ્નો (FAQ)
-
નડાબેટ ક્યાં આવેલું છે?
જવાબ: નડાબેટ, વાવ-થરાદ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું છે. -
મુખ્ય આકર્ષણ શું છે?
જવાબ: “બીટીંગ રિટ્રીટ” સેરેમની અને અજય પ્રહરી સ્મારક. -
મુલાકાત માટે શ્રેષ્ઠ સમય કયો છે?
જવાબ: ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી હવામાન અનુકૂળ રહે છે. -
આપણા વ્યક્તિગત વાહનને બોર્ડર સુધી લઇ જવા મળે ?
જવાબ: આપણા વ્યક્તિગત સાધન બાઈક,ગાડી કે બસને મ્યુઝીયમ સુધી જવા મળે છે, ત્યારબાદ ત્યાંથી તેમની બસ દ્વારા સીમા સુધી પહોચાડે છે. -
નડાબેટમાં જમવા અને રહેવાની સુવિધા છે ?
જવાબ: હા, ત્યાં ઘણીબધી કેન્ટીન સુવિધા છે,જેમાં તમે અલગ અલગ ખાવાનું ખાઈ શકો છો. આ સિવાય નડેશ્વરી માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા 30/- રૂપિયામાં ભરપુર જમવાનું મળે છે. અહિયાં મંદિર ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળામાં રાત્રી રોકાણની પણ સુવિધા છે.